You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

Live, પત્રકારો પર પ્રદર્શનકારોના કથિત હુમલા વિશે કૉક્રોચ જનતા પાર્ટીએ શું કહ્યું?

સૌરભ દાસે ઍક્સ પોસ્ટ પર લખ્યું કે, "અમે દેવ (રિપોર્ટર) પર થયેલા હુમલાની આકરી ટીકા કરીએ છીએ. તેઓ એક શાનદાર રિપોર્ટર છે. પોલીસ ગમે તેટલી ઉશ્કેરે, કોઈએ કોઈ પ્રકારની હિંસા કરવી ન જોઈએ. માફ કરજો ભાઈ દેવ. અમે બધાને શાંતિ અને સંયમ જાળવવાની અપીલ કરીએ છીએ."

લાઇવ કવરેજ

બીબીસી ગુજરાતી

  1. પત્રકારો પર પ્રદર્શનકારોના કથિત હુમલા વિશે કૉક્રોચ જનતા પાર્ટીએ શું કહ્યું?

    દિલ્હીના જંતર-મંતર પર ધરણા કરી રહેલા કેટલાક પ્રદર્શનકારીઓ પર આરોપ છે કે તેમણે 'ટાઇમ્સ નાઉ'ના પત્રકાર દેવ કોટક સાથે મારપીટ કરી હતી. ત્યાર પછી સીજેપીએ આ હુમલાની ટીકા કરી છે.

    સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરભ દાસે કહ્યું કે, "પોલીસ ગમે તેટલી ઉશ્કેરે તો પણ કોઈ પ્રકારની હિંસા કરવી ન જોઈએ."

    સૌરભ દાસે ઍક્સ પોસ્ટ પર લખ્યું કે, "અમે દેવ (રિપોર્ટર) પર થયેલા હુમલાની આકરી ટીકા કરીએ છીએ. તેઓ એક શાનદાર રિપોર્ટર છે. પોલીસ ગમે તેટલી ઉશ્કેરે, કોઈએ કોઈ પ્રકારની હિંસા કરવી ન જોઈએ. માફ કરજો ભાઈ દેવ. અમે બધાને શાંતિ અને સંયમ જાળવવાની અપીલ કરીએ છીએ."

    પત્રકાર દેવ કોટકે આરોપ લગાવ્યો છે કે સીજેપીના પ્રદર્શનકારીઓએ તેમની સાથે મારપીટ કરી અને તેમનાં મોબાઇલ તથા ઘડિયાળ છીનવી લીધાં.

    અહીં ધ્યાન આપવું જરૂરી છે કે સીજેપીના પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ ઘણી વાર મેઇનસ્ટ્રીમ મીડિયા સામે નારાબાજી કરી છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર પણ આવ્યા છે.

  2. નસીરુદ્દીન શાહે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ બાદ કહ્યું, “ગુસ્સાથી ઊકળી ઉઠ્યો છું”

    કૉક્રોચ જનતા પાર્ટીના સમર્થકો અને પ્રદર્શકારો પર સોમવારે સંસદ માર્ચ દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી બાદ સિમેમા જગત સાથે જોડાયેલા ઘણા લોકોએ તેની નિંદા કરી છે. હવે દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં નિવેદન આપ્યું છે.

    નસીરુદ્દીન શાહે કહ્યું છે કે તમામ વિદ્યાર્થીઓ હિંમત નહીં હારે, ઘણા લોકોની હમદર્દી તેમની સાથે છે.

    તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્ટાગ્રામ પર એક વીડિયો જારી કરીને કહ્યું, “ઍક્ટિંગના બે કોર્સ પૂર્ણ કર્યા બાદ પણ મેં અભિયન કરવાનું વિદ્યાર્થીઓ પાસેથી શીખ્યું છે. જેને શીખવવાની કોશિશ મેં કરી છે. મારી પૂર્ણ હમદર્દી તેમની સાથે છે. હું તેમના તમામ શ્વાસની સાથે દુઆ આપું છું અને દરેક ટીચર્સ ડે પર તેમને સલામ કરું છું.”

    તેમણે કહ્યું, “મારું દિલ ભરાઈ આવ્યું છે. આ જોઈને હું ગુસ્સાથી ઊકળી ઉઠ્યો છું. આપણાં બાળકો સાથે આ પ્રકારનો જુલમથી ભરેલું વર્તન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સાથેનો આ વ્યવહાર એ ગુંડાઓ મારફતે થઈ રહ્યો છે. જે મને અમેરિકામાં આઇસ એજન્ટની યાદ અપાવે છે. જેમના હાથમાં દંડા અને મોઢા પર નકાબ હતો. ક્યારેક પોતાનાં બાળકો માટે પણ વિચારો અને એ પણ વિચારો કે તમારું કરેલું તમને પરત મળશે.”

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં સોનાક્ષી સિન્હા, પ્રીતિ ઝિન્ટા, સોનુ સુદ, દિલજીત દોસાંજ, રિતેશ દેશમુખ, ભૂમિ પેડનેકર અને જેનેલિયા સહિત ઘણાં અભિનેતા-અભિનેત્રીઓએ વિદ્યાર્થીઓના સમર્થનમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.

  3. ધર્મેન્દ્ર પ્રધાન બોલ્યા, ‘રાહુલ ગાંધી વિદ્યાર્થીઓનો રાજકારણ માટે ઉપયોગ કરી રહ્યા છે’

    કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી વિદ્યાર્થીઓનો રાજકારણમાં ઉપયોગ કરીને સંસદના ચોમાસાના સત્રમાં અવરોધ ઊભો કરવા માગે છે.

    ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કૉંગ્રેસ સતત વિદ્યાર્થીઓનો રાજનીતિ માટે ઉપયોગ કરે છે. જેથી સંસદના ચોમાસું સત્ર દરમિયાન અવરોધ પેદા કરી શકે. રાહુલ ગાંધી અને કૉંગ્રેસે વડા પ્રધાનના ઘરની બહાર ઘરણાંનો નિર્ણય લીધો. જેથી સામાન્ય લોકોને પરેશાની થઈ અને સુરક્ષાના નિયમોને અવગણવામાં આવ્યા.”

    ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસ સાંસદોએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગને લઈને વડા પ્રધાન નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ બહાર ધરણાં અને પ્રદર્શન કર્યાં હતાં.

    ત્યાર બાદ તેમની અટકાયત કરવામાં આવી, જોકે કેટલાક કલાકો બાદ અટકાયતમાં લેવાયેલા તમામ નેતાઓને છોડી મૂક્વામાં આવ્યા હતા.