પત્રકારો પર પ્રદર્શનકારોના કથિત હુમલા વિશે કૉક્રોચ જનતા પાર્ટીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Kabir Jhangiani/NurPhoto via Getty Images
દિલ્હીના જંતર-મંતર પર ધરણા કરી રહેલા કેટલાક પ્રદર્શનકારીઓ પર આરોપ છે કે તેમણે 'ટાઇમ્સ નાઉ'ના પત્રકાર દેવ કોટક સાથે મારપીટ કરી હતી. ત્યાર પછી સીજેપીએ આ હુમલાની ટીકા કરી છે.
સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરભ દાસે કહ્યું કે, "પોલીસ ગમે તેટલી ઉશ્કેરે તો પણ કોઈ પ્રકારની હિંસા કરવી ન જોઈએ."
સૌરભ દાસે ઍક્સ પોસ્ટ પર લખ્યું કે, "અમે દેવ (રિપોર્ટર) પર થયેલા હુમલાની આકરી ટીકા કરીએ છીએ. તેઓ એક શાનદાર રિપોર્ટર છે. પોલીસ ગમે તેટલી ઉશ્કેરે, કોઈએ કોઈ પ્રકારની હિંસા કરવી ન જોઈએ. માફ કરજો ભાઈ દેવ. અમે બધાને શાંતિ અને સંયમ જાળવવાની અપીલ કરીએ છીએ."
પત્રકાર દેવ કોટકે આરોપ લગાવ્યો છે કે સીજેપીના પ્રદર્શનકારીઓએ તેમની સાથે મારપીટ કરી અને તેમનાં મોબાઇલ તથા ઘડિયાળ છીનવી લીધાં.
અહીં ધ્યાન આપવું જરૂરી છે કે સીજેપીના પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ ઘણી વાર મેઇનસ્ટ્રીમ મીડિયા સામે નારાબાજી કરી છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર પણ આવ્યા છે.


