પીએમ મોદીના પેપર લીકની તપાસ મામલે કરેલી ઘોષણા પર રાહુલ ગાંધીએ શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય તેમની પ્રાથમિકતા છે. તેમણે પેપર લીકના મામલે ફાસ્ટ ટ્રૅક કોર્ટની રચનાની જાહેરાત પણ કરી.
વડા પ્રધાનનું આ નિવેદન પેપર લીક સહિત પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓનાં પ્રદર્શનો વચ્ચે આવ્યું છે.
પીએમ મોદીને જવાબ આપતા લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું છે, “તમે જ અમારા યુવાનોના ભવિષ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. તમે ન માત્ર આપણી શિક્ષણ વ્યવસ્થા પર કબજો કરવાથી તેને બરબાદ કરી પરંતુ તેને પ્રોત્સાહન પણ આપ્યું. તેને માટે જવાબદાર તમામ લોકોને તમે સંરક્ષણ આપ્યું.”
રાહુલે કહ્યું કે વિદ્યાર્થીઓની આ માંગ છે.
1. ધર્મેન્દ્ર પ્રધાનને પદ પરથી હઠાવવામાં આવે.
2. વિદ્યાર્થીઓની માફી માગવામાં આવે.
3. વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસાના જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે.